#202, Krishna Bhakt

By Faces of Rajkot, April 19, 2016

હું છેક વાંકાનેરથી રાજકોટ માવો વેચવા આવું છુ. મને કૃષ્ણપ્રેમ એટલો છે કે સવાર સાંજ મન્ન અને દિલ માં એકજ નામ રહે છે. “ક્રીસના” સવારે 4 વાગે ઉઠી ને ગાયો દોવા બેસું ત્યારથી કૃષ્ણભજન અને પ્રભાતિયાં ગાઉ અને ખુશ રહું.

લોકો પૂછે કે,વાંકાનેરથી રાજકોટ અને સવારના 4 વાગ્યાથી રાત ના 10 વાગ્યા સુધી ની પ્રવૃત્તિ અને મારી ઉંમર મને થકવી નાખતી હશે! પણ હું એટલું જ કહું કે,”આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક તો આભને નીચું કરી આપે છે કોઈ”